મંગળવાર, 13 માર્ચ, 2018
ગુરુવાર, 1 ફેબ્રુઆરી, 2018
શુક્રવાર, 24 નવેમ્બર, 2017
ગુરુવાર, 25 જૂન, 2015
શિક્ષક એટલે કોણ ?
શિસ્તનો આગ્રહી બને તે શિક્ષક,
અન્યાય સામે ખુમારીવંતા બને તે શિક્ષક,
વિદ્યાર્થીઓ માટે પ્રેરક અને કલાકાર બને તે શિક્ષક,
કર્તવ્યનિષ્ઠા અને ક્ષમાશીલના દાખલા બેસાડે તે શિક્ષક,
શાળારૂપી મંદિરનો પૂજારી બને તે શિક્ષક,
સરસ્વતી માતા અને શારદાનો ઉપાસક બને તે શિક્ષક,
પરિવર્તનો દૂત બને તે શિક્ષક,
મા રૂપી મમતા અને પિતારૂપી જવાબદાર બને તે શિક્ષક,
નિ:સ્વાર્થ બાળપ્રેમ પ્રાપ્ત કરે તે શિક્ષક,
સંસ્કારોનું સિંચન કરે તે શિક્ષક,
પર્યાવરણનું મહત્ત્વ સમજાવે તે શિક્ષક,
એકતા, અખંડિતતા, દેશપ્રેમના પાઠો શીખવે તે શિક્ષક,
સૂર્યરૂપી તેજસ્વીતા અને ચંદ્રરૂપી શીતળતા બક્ષે તે શિક્ષક,
વિદ્યાર્થીરૂપી બાળકમાં માનવતાના ગુણ સીંચે તે શિક્ષક,
રાવણને ‘રામ’, દાનવને ‘માનવ’ બનાવે તે શિક્ષક,
ગુજરાતનો ઇતિહાસ
| |||
| ગુજરાત : રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું. | |||
| પ્રાચીન ઇતિહાસ | |||
| સૌ
પ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુજ્જરોએ વસવાટ કર્યો. જે ભારત અને હાલના
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ભાગ છે. હુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્રના
આક્રમણ કર્યું. તે જાતિના નામ પરથી ગુજર થયું. જે પછીથી હિંદુ, મુસ્લિમ,
ખ્રિસ્તી અને શીખ ધર્મમાં પરિવર્તિત થયું. ભૂસ્તર શાસ્ત્રીઓને ભૂમિ ઉત્ખનન દરમિયાન પાષણ યુગના અવશેષો ગુજરાતની ભૂમિમાંથી તેમજ સાબરમતી અને મહી નદી પાસેના પ્રદેશમાંથી મળી આવ્યા. હડપ્પા સંસ્કૃતિ સમયના શહેરો લોથલ, રામપુર, અચરજ અને બીજા જગ્યાઓના પણ અવશેષો મળી આવેલ છે. પ્રાચીન ગુજરાત પર મોર્ય શાસકે પણ શાસન કરેલું. ગુજરાતના કેટલાક સ્થળો સમ્રાટ ચંદ્રગુપ્ત મોર્યએ જીતેલા. જ્યારે તેના પૌત્ર સમ્રાટ અશોકે તેમાં વિસ્તાર કરેલો. શરૂઆતના ત્રણ મૌર્યના સ્તૂપો મળી આવેલ હતાં. ઇ.સ. પૂર્વ ૨૩૨ સમ્રાટ અશોકનું મૃત્યુ થવાથી તેના સામ્રાજ્યમાં રાજકીય મતભેદોને લીધે તે અંત તરફ આગળ વધ્યું. રાજા શુંગારુએ રાજકીય કૂનેહથી મૌર્ય સામ્રાજ્યનો અંત કર્યો. મૌર્ય સામ્રાજ્યના પતન પછી કેથેલિસ્ટએ આ પ્રાંતમાં ઇ.સ. ૧૩૦થી ૩૯૦ શાસન કર્યું. રૂદ્ર દમનના શાસન હેઠળ સામ્રાજ્યમાં માલવા (મધ્યપ્રદેશ), સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન મેળવ્યા. ઇ.સ. ૩૦૦થી ૪૦૦ દરમિયાન આ વિસ્તાર ગુપ્ત સામ્રાજ્યના તાબા હેઠળ આવ્યું જે પછીથી મૈત્રકા નામથી ઓળખાયું. ધ્રુવસેનાના શાસન કાળ દરમિયાન મહાન ચાઇનીઝ પ્રવાસી અને વિચારક હુ-એન-ત્સાંગએ ઇ.સ. ૬૪૦માં ભારતની મુલાકાત લીધી. મૌર્ય સામ્રાજ્યના પતન અને સંપ્રતી સૌરાષ્ટ્ર આવવાના દરમિયાન, ડેમેટ્રીસ્ટના તાબા હેઠળ ગ્રીક આક્રમણ ગુજરાત પર થયેલ હતું. સ્થાનિય રજવાડાઓની સંખ્યા ૨૩ હતી. તેમાના મુખ્ય ત્રણ હિન્દુ રજવાડાઓ ચાવુરા, સોલંકી અને બાઘીલાહ હતા તેમણે ભારત પર ૫૭૫ વર્ષ સુધી શાસન કર્યું. જ્યારે ગુજરાત મોહંમેદન્સના કબ્જામાં હતું. ચવુરા જાતિએ ૧૯૬ વર્ષ સુધી શાસન કર્યું. તેમના પછી સોલંકી જાતિએ શાસન કર્યું. ઇ.સ. ૯૦૦ દરમિયાન સોલંકી શાસન આવ્યું. સોલંકી શાસન દરમિયાન ગુજરાતનો સૌથી વિશાળ વિસ્તાર તેમના તાબામાં હતું. ગુર્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલ હતાં. કારણકે પ્રતિહારાઓ, પરમારો અને સોલંકી ગુજરોને મળતા આવે છે. પ્રાચીન ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક સોલંકી અને રાજપુત હતા. જેમણે ઇ.સ. ૯૬૦ થી ૧૨૪૩ સુધી શાસન કર્યું. એમ માનવામાં આવે છે કે ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક કરનદેવ વાઘેલા ઇ.સ. ૨૯૭માં દિલ્હીના સુલતાન અલાદ્દીન ખીલજીથી પરાજય પામ્યા હતાં. | |||
| મધ્યકાલીન આક્રમણો : | |||
| મુસ્લિમોનું
શાસન ૪૦૦ વર્ષ સુધી રહ્યું. ઝફરખાન મુઝફ્ફરે તે સમયના નબળા દિલ્હીના
સુલતાનનો ફાયદો ઉઠાવીને ગુજરાતનો પહેલો સ્વતંત્ર સુલતાન બન્યો. તેણે
પોતાનું નામ મુઝફ્ફર શાહ જાહેર કર્યું. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમાં
પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૧માં સાબરમતી કિનારે અમદાવાદ
વિકસાવ્યું. આ અગાઉ, ઇ.સ. ૧૦૨૬ મોહંમદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. તેણે રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો, કાફિરોને માર્યા, યુદ્ધમાં પકડાયેલા સૈનિકોને બંદી બનાવ્યા અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિની લૂંટ ચલાવી. જે સંપત્તિ - વૈભવ માટે ગુજરાત જગ મશહુર હતું. ત્યારબાદ અલાઉદ્દીન ખીલજી ઇ.સ. ૧૨૯૮માં ગુજરાતમાં આવ્યો. ગુજરાતના તત્કાલિન સુલતાન ઇ.સ. ૧૫૭૬ સુધી સ્વતંત્ર રહ્યા. મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તેણે મલવા અને ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ઇ.સ. ૧૫૭૦માં સામેલ કર્યા. મુગલોએ બે સદીઓ સુધી શાસન કર્યું. ૧૮મી સદીના મધ્યમાં મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજીએ પોતાના પ્રભાવ અને કૂનેહથી ગુજરાત પ્રાંન્ત કબજે કર્યો. | |||
| અદ્યતન પદ્ધતિનો પ્રભાવ : | |||
| ઇ.સ.
૧૬૦૦માં ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ, દરેક ગુજરાતના દરિયા
કિનારેથી આવ્યા અને પોતાના વિસ્તારો વિકસાવ્યા જેમાં દમણ, દીવ અને દાદરા
અને નગરહવેલીના પ્રદેશો મુખ્ય હતાં. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજો ઇ. સ. ૧૬૧૪માં સુરત ખાતે શરુ કર્યા. પરંતુ ઇ.સ. ૧૬૬૮ પોર્ટુગીઝે પાસેથી મુંબઇનો કબજો લીધા બાદ તેઓએ તેમના વેપારી કામકાજો મુંબઇ લઇ ગયા. કંપનીએ ગુજરાતના મોટા ભાગનો અંકુશ મરાઠા શાસક પાસે રહ્યો. ઘણા સ્થાનિક શાસક જેમકે વડોદરાના મરાઠા ગાયકવાડ પોતાની શાંતિવાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા બાદ બ્રિટિશ શાસન હેઠળ તેમણે પોતાનું શાસન ચલાવ્યું. ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંન્તો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં. મોહનદાસ કરમચંદ ગાંધીના સ્વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઇ. જેમાં તેમની સાથે સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ, મોહનલાલ પંડયા, ભુલાભાઇ દેસાઇ, રવિશંકર મહારાજ વગેરે જેવા ગુજરાતી નેતાઓએ આપ્યો. ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. સત્યાગ્રહ, બારડોલીનો સત્યાગ્રહ, બોરસદનો સત્યાગ્રહ અને મીઠાનો સત્યાગ્રહ. | |||
| મહાગુજરાત આંદોલન : | |||
| સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી અને ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના રોજ સંયુક્ત મુંબઇ-ગુજરાતનું વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો. | |||
| રાજકીય વ્યવસ્થા : | |||
| ઇ.સ.
૧૯૪૭માં સ્વતંત્રતા મેળવ્યા બાદ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે મુંબઇ રાજ્ય
પર શાસન કર્યું. (બોમ્બે આજનું મહારાષ્ટ્ર અને ગુજરાત દર્શાવે છે.)
વિભાજન બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન ચાલું રહ્યું. ઇ.સ. ૧૯૭૫-૧૯૭૭
દરમિયાનમાં લાદવામાં આવેલી કટોકટીને પરિણામે કોંગ્રેસની સ્થિતી ગુજરાતમાં
નબળી પડી. છતાં પણ કોંગ્રેસે સને ૧૯૯૫ સુધી ગુજરાતમાં રાજ કર્યું. વિભાજન બાદ ઇ.સ. ૧૯૬૦થી ગુજરાતમાં ૧૪ મુખ્યમંત્રી આવ્યા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ નારાયણ મહેતા બન્યા. જેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. ઇ.સ. ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને ભારતીય જનતા પાર્ટીના શ્રી કેશુભાઇ પટેલે રાજ્યની શાસન ધૂરા સંભાળી. સને ૨૦૦૧માં, વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૦૨ ની ચુંટણીમાં પણ બહુમત મેળવ્યો અને નરેન્દ્ર મોદી ૭ ઓકટોબર ૨૦૦૧થી વર્તમાન સમય સુધી મુખ્યમંત્રી છે. ૧ જુન, ૨૦૦૭ ના રોજ તેઓ સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં. |
મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2015
કલ્યાણકારી મહાશિવરાત્રી
શિવપુરાણમાં જણાવ્યુ છે કે જેણે શિવની સમીપમાં જવું છે જેને કૈલાસમાં વાસ કરવો છે તે ભક્ત જો બ્રાહ્મણ હોય તો શિવાય નમઃનો જાપ કરે તથા અન્ય જાતિનો હોય તો તેણે નમઃ શિવાયનો જાપ કરવો
મહા વદ ચૌદશ
મહાશિવરાત્રી એટલે મહા માસમાં આવતી વદ ચૌદશ. આમ તો શિવરાત્રી અગિયાર આવે છે. મહા માસની વદ ચૌદશે આવતી રાત્રી મહાશિવરાત્રી. દર માસની વદ ચૌદશને દિવસે શિવરાત્રી હોય છે. શિવરાત્રીમાં બે શબ્દો શિવ અને રાત્રી સમાયેલા છે.શિવરાત્રીના દિવસની રાત્રે જાગરણ કરવામાં આવે છે. શિવરાત્રીના તહેવારમાં જે કર્મકાંડનું, ધાર્મિક ક્રિયાઓનું આચરણ થાય છે તેની પાછળ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. શિવરાત્રી નિમિત્તે થતો ઉપવાસ એ શિવની સમીપ જવાનું સૂચન કરે છે. આ દિવસે ભાંગ પીને શિવપૂજામાં તલ્લીન થઈ જવાનું મહત્વ ખૂબ છે. ઘણા નશા માટે, ઘણા આનંદ ખાતર, ઘણા પ્રસાદ માનીને ભાંગનું સેવન કરે છે. સાચ ક્રિયા ભાંગની ભુલાઈ ગઈ છે, જે ખોટું છે.
શિવરાત્રીના સંદર્ભમાં શિકારી અને હરણાંની વાત પ્રચલિત છે. એક શિકારી હતો. તે કુંટુબનું ગુજરાન શિકાર કરીને ચલાવતો હતો. એક વખત સળંગ અઠવાડિયા સુધી તેને શિકાર ન મળ્યો. કુટુંબના પત્ની – બાળકોને ભૂખે ટલવળતાં ન જોઈ શક્યો. શિકાર કરવા જંગલમાં ગયો, ત્યાં તેણે એક હરણી જોઈ. તે તેનો શિકાર કરવા તત્પર થાય છે. હરણી મનુષ્ય વાણીમાં બોલે કે ‘હું મારાં બાળકોને મળીને આવું એટલીવાર મને રજા આપ.’ કાંઈક દયાથી, કાંઈક માયાથી શિકારીએ તેની વાત માની. રાતમાં તે સલામતી માટે બીલીના ઝાડ પર ચડી ગયો અને જંગલ વિસ્તાર સ્પષ્ટ દેખાય તે માટે આડે આવતાં બીલીના પાન તોડીને નીચે ફેંકવા લાગ્યો. નીચે શિવલિંગ પ્રતિષ્ઠિત હતું. હરણીએ ઘેર જઈ હરણ તથા નાનાં હરણાંને બધી વાત કરી. પત્નીને મરતી જોઈ હરણ તેની સાથે થયું હતું. મા-બાપ પાછળ બાળકો આવ્યાં. સંઘ શિકારી પાસે આવ્યો રાતનો ઉપવાસ તથા બીલીપત્ર શિવ ઉપર ચડતાં શિકારીનું હૃદય પરિવર્તન થયું. સાચાબોલાં હરણાં જોઈ તે પ્રસન્ન થયો. તેણે સૌને જીવનદાન આપ્યું. ત્યાર બાદ શિવ પ્રગટ થયા. હરણાં, શિકારી તથા તેના પરિવારને સ્વર્ગે-કૈલાસ લઈ ગયા. શિવપૂજામાં ધંતુરો, લાલ કરેણ , બીલીપત્ર ચડાવવામાં આવે છે તે સઘળાં આત્મસ્વરૂપ ગણાય છે. પરમાત્માના દિવ્ય અવતરણ વખતે આત્મા પતિત બની ગયા હોય છે. તેથી આવા આત્માને ઓળખી શિવને સર્મિપત કરવાનું મહત્વ છે. લિંગ ઉપર જળાધારી તે પણ આત્માનું સૂચન કરે છે. પોઠિયો બ્રહ્માનું સૂચન કરે છે. કાચબો સ્થિતપ્રજ્ઞ કર્મયોગીનું સૂચન કરે છે. શિવ ઉપર ત્રિપુંડ્ર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
શિવપુરાણમાં જણાવ્યુ છે કે જેણે શિવની સમીપમાં જવું છે જેને કૈલાસમાં વાસ કરવો છે તે ભક્ત જો બ્રાહ્મણ હોય તો શિવાય નમઃનો જાપ કરે તથા અન્ય જાતિનો હોય તો તેણે નમઃ શિવાયનો જાપ કરવો
મહા વદ ચૌદશ
મહાશિવરાત્રી એટલે મહા માસમાં આવતી વદ ચૌદશ. આમ તો શિવરાત્રી અગિયાર આવે છે. મહા માસની વદ ચૌદશે આવતી રાત્રી મહાશિવરાત્રી. દર માસની વદ ચૌદશને દિવસે શિવરાત્રી હોય છે. શિવરાત્રીમાં બે શબ્દો શિવ અને રાત્રી સમાયેલા છે.શિવરાત્રીના દિવસની રાત્રે જાગરણ કરવામાં આવે છે. શિવરાત્રીના તહેવારમાં જે કર્મકાંડનું, ધાર્મિક ક્રિયાઓનું આચરણ થાય છે તેની પાછળ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. શિવરાત્રી નિમિત્તે થતો ઉપવાસ એ શિવની સમીપ જવાનું સૂચન કરે છે. આ દિવસે ભાંગ પીને શિવપૂજામાં તલ્લીન થઈ જવાનું મહત્વ ખૂબ છે. ઘણા નશા માટે, ઘણા આનંદ ખાતર, ઘણા પ્રસાદ માનીને ભાંગનું સેવન કરે છે. સાચ ક્રિયા ભાંગની ભુલાઈ ગઈ છે, જે ખોટું છે.
શિવરાત્રીના સંદર્ભમાં શિકારી અને હરણાંની વાત પ્રચલિત છે. એક શિકારી હતો. તે કુંટુબનું ગુજરાન શિકાર કરીને ચલાવતો હતો. એક વખત સળંગ અઠવાડિયા સુધી તેને શિકાર ન મળ્યો. કુટુંબના પત્ની – બાળકોને ભૂખે ટલવળતાં ન જોઈ શક્યો. શિકાર કરવા જંગલમાં ગયો, ત્યાં તેણે એક હરણી જોઈ. તે તેનો શિકાર કરવા તત્પર થાય છે. હરણી મનુષ્ય વાણીમાં બોલે કે ‘હું મારાં બાળકોને મળીને આવું એટલીવાર મને રજા આપ.’ કાંઈક દયાથી, કાંઈક માયાથી શિકારીએ તેની વાત માની. રાતમાં તે સલામતી માટે બીલીના ઝાડ પર ચડી ગયો અને જંગલ વિસ્તાર સ્પષ્ટ દેખાય તે માટે આડે આવતાં બીલીના પાન તોડીને નીચે ફેંકવા લાગ્યો. નીચે શિવલિંગ પ્રતિષ્ઠિત હતું. હરણીએ ઘેર જઈ હરણ તથા નાનાં હરણાંને બધી વાત કરી. પત્નીને મરતી જોઈ હરણ તેની સાથે થયું હતું. મા-બાપ પાછળ બાળકો આવ્યાં. સંઘ શિકારી પાસે આવ્યો રાતનો ઉપવાસ તથા બીલીપત્ર શિવ ઉપર ચડતાં શિકારીનું હૃદય પરિવર્તન થયું. સાચાબોલાં હરણાં જોઈ તે પ્રસન્ન થયો. તેણે સૌને જીવનદાન આપ્યું. ત્યાર બાદ શિવ પ્રગટ થયા. હરણાં, શિકારી તથા તેના પરિવારને સ્વર્ગે-કૈલાસ લઈ ગયા. શિવપૂજામાં ધંતુરો, લાલ કરેણ , બીલીપત્ર ચડાવવામાં આવે છે તે સઘળાં આત્મસ્વરૂપ ગણાય છે. પરમાત્માના દિવ્ય અવતરણ વખતે આત્મા પતિત બની ગયા હોય છે. તેથી આવા આત્માને ઓળખી શિવને સર્મિપત કરવાનું મહત્વ છે. લિંગ ઉપર જળાધારી તે પણ આત્માનું સૂચન કરે છે. પોઠિયો બ્રહ્માનું સૂચન કરે છે. કાચબો સ્થિતપ્રજ્ઞ કર્મયોગીનું સૂચન કરે છે. શિવ ઉપર ત્રિપુંડ્ર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)



