ગુરુવાર, 22 માર્ચ, 2012
(૧) સરવાળાના દ્રઢીકરણ માટે ક્રમિક સંખ્યાઓનો સરવાળો
- 1 થી 10 ની તમામ ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?
- 1 થી 50 ની તમામ ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?
(૨) એકી સંખ્યાઓનો સરવાળો
દા.ત. 1 થી 17 સુધીની એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?
રીત- જેટલી એકી સંખ્યાઓ હોય તે ગણીને તેનો વર્ગ કરવો.
મંગળવાર, 20 માર્ચ, 2012
મા- બાપ ને ભૂલશો નહિ .....
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજ
પથ્થર બની છુંદશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ
.
-સંત પુનિત
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજ
પથ્થર બની છુંદશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ
.
-સંત પુનિત
શનિવાર, 17 માર્ચ, 2012
હાસ્યમેવ જયતે – જગદીશ ત્રિવેદી
દાંતનો મહિમા માણસના જીવનમાં અનેરો છે. હસવાથી માણસના દાંતનું દર્શન થાય છે. આ દાંત જ્યાં સુધી હોય છે ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી પણ દાંત જેવા એક પછી એક પડવા માંડે છે ત્યારે માણસને એનું મૂલ્ય સમજાવા માંડે છે.
બે મિત્ર સાથે ડેન્ટિસ્ટ થયા અને એક જ શહેરમાં, એક જ વિસ્તારમાં રોડની બન્ને બાજુએ સામસામે પોતાનાં ક્લિનીક શરૂ કર્યાં. એક દિવસ સાંજે બન્ને કૉફી પીવા એકઠા થયા ત્યારે એક દાકતર બોલ્યો કે આજે એક પેશન્ટ એવો આવ્યો કે એના જેવો હિંમતવાન દર્દી કોઈ જોયો નથી. એણે મને કહ્યું કે મારે ઈન્જેકશન લેવું નથી કે ઈથરનો સ્પ્રે પણ કરવો નથી. એટલું જ નહીં પરંતુ મારે તમારી ખુરશીમાં પણ બેસવું નથી. હું તમને ઊભા ઊભા જે દાઢ બતાવું તે પક્કડમાં પકડીને ખેંચી નાખો, હું ઊંહકારો પણ કરીશ નહીં. પેશન્ટના અવાજમાં વિશ્વાસનો રણકો જોઈને મને પણ હિંમત આવી ગઈ અને મેં ઊભા ઊભા એની દોઢડાહપણની દાઢ ખેંચી નાખી અને મારા આશ્ચર્ય વચ્ચે એણે ઊંહકારો પણ કર્યો નહીં. મને એની મર્દાનગી ઉપર માન થયું એટલે ફી પણ લીધી નહીં અને જવા દીધો. આ સાંભળીને બીજો દાક્તર બોલ્યો કે એણે પીળું ટીશર્ટ પહેર્યું હતું ? પેલા દાક્તરે કહ્યું કે હા, પણ તને કેવી રીતે ખબર પડી ? ત્યારે બીજો દાક્તર બોલ્યો કે એ મારે ત્યાં ઈન્જેકશન મરાવીને તારે ત્યાં દાઢ ખેંચાવી ગયો. મને ઈન્જેકશનનો ચાર્જ આપ્યો નહીં. એ આપણને બન્નેને મામા બનાવી ગયો !એક યુવાનને ડેન્ટિસ્ટની દીકરી સાથે પ્રેમ થયો. પેલો દરરોજ હિંમત કરીને દાક્તર પાસે એમની દીકરીનો હાથ માગવા જાય પણ દાક્તરની ઑફિસમાં જઈને સામે બેસે ત્યારે હોઠ ખૂલે નહીં. એક દિવસ દાક્તરની પુત્રીએ પૂછ્યું કે આજે તેં મારા પપ્પા પાસે જઈને આપણા પ્રેમનો એકરાર કર્યો કે નહીં ? ત્યારે પેલો યુવાન બોલ્યો કે આજે પણ મારી હિંમત ચાલી નહીં અને વધુ એક દાંત પડાવીને આવતો રહ્યો. આ સાંભળીને યુવતી બોલી કે આમ ને આમ તેં ત્રીજો દાંત કઢાવી નાખ્યો. થોડા દિવસ આમ ચાલ્યું તો તું બોખો થઈ જઈશ. ત્યારે પેલો યુવાન બોલ્યો કે છેલ્લે ડેન્ચરનું માપ આપવા જઈશ ત્યારે તો સો ટકા પૂછી લઈશ.
આવી જ રીતે બીજા એક કિસ્સામાં એક દર્દીએ દાંત પડાવીને પાંચસોની નોટ આપી તો દાક્તરે બસો રૂપિયા કાપીને ત્રણસો પાછા આપ્યા. પેલા પેશન્ટે મોંમાં રૂના પૂમડા સાથે ગાલ ઉપર હાથ રાખીને પૂછ્યું કે એક દાંત પાડવાના તમે સો રૂપિયા જ ચાર્જ કરો છો અને મારા બસો રૂપિયા શા માટે લીધા ? ત્યારે દાક્તર બોલ્યો કે તમારી ચીસ સાંભળીને એક પેશન્ટ ઊભો થઈને બીજા દવાખાને જતો રહ્યો તેના સો રૂપિયા તમારી પાસેથી વસુલ કર્યા છે.
સાભાર-readgujarati.com માંથી
શનિવાર, 10 માર્ચ, 2012
હૃદયની રચના અને સામાન્ય કામકાજની રૂપરેખા
છાતીમાં વચ્ચોવચ જરાક ડાબી બાજુએ આવેલું હ્રદય મુઠ્ઠી જેવડું હોય છે. હ્રદયનું વજન માત્ર ૨૫૦ થી ૩૦૦ ગ્રામ જેટલું હોય છે જે એક તંદુરસ્ત પુખ્ત માણસમાં દર મિનિટે પાંચ થી છ લીટર જેટલું લોહી રકતવાહીનીઓમાં ધકેલે છે.બીજા શબ્દોમાં, જે રીતે મોટા મકાનમાં દરેકે દરેક માળ સુધી પાણી પહોંચાડવા માટે પંપ મૂકવો પડે છે, એજ રીતે આખા શરીરના દરેકે દરેક કોષને લોહી (અને લોહી વાટે ઓકિસજન, ગ્લુકોઝ વગેરે પોષક તતત્વો) પહોંચાડવા માટે કુદરતે જ હ્રદયરૂપી પંપ આપ્યો છે. ફરક એટલો જ છે કે મકાનમાં મૂકેલો પંપ ચાંપ દબાવવાથી ચાલુ થાય અને ચાંપ દબાવવાથી બંધ થાય, જયારે શરીરમાં આ પંપ (હ્રદય) ચોવીસે કલાક અને ત્રણસોને પાંસઠે દિવસ સતત ચાલ્યા જ કરે છે. જે દિવસે એ બંધ પડે એ દિવસે શરીર પણ કામ કરતું બંધ થઇ જાય છે. મકાનમાં મૂકેલ પંપ અને શરીરના પંપનો મુખ્ય તફાવત હવે પડે છે. મકાનમાં રાખેલ પંપ તો બધા માળ સુધી પાણી પહોંચાડી દે એટલે એનું કામ પૂરું થઇ જાય છે. જયારે હ્રદયના પંપનું કામ તો શરીરના કોષોને લોહી પહોંચાડયા પછી, પાછા ફરતાં અશુદ્ધ લોહીને ફેફસામાં શુદ્ધ કરવા મોકલી અને આ શુદ્ધ લોહી ફરીથી રકતવાહિનીઓમાં વહેવડાવવા સુધીનું હોય છે.
આમ, હ્રદય બે પંપનું બનેલું હોય છે. ડાબો પંપ શુદ્ધ (ઓકિસજનયુકત) લોહીને શરીરના કોષો સુધી ધકેલે છે અને જમણો પંપ અશુદ્ધ (કાર્બન ડાયોકસાઇડયુકત) લોહીને શુદ્ધ કરવા માટે ફેફસાંમાં ધકેલે છે.
દર્દ નામ કદી ન લે
ચોમાસે અજમો, લસણ ભલા
પણ, બારે માસ ત્રિફલા ભલા.
ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન,
શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.
રોટલા, કઠોળ અને ભાજી, — તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.
હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.
આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી, અને વેદના, ભાગે તેના જરૂર.
ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.
ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય
લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.
ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.
મગ કહે: હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ
કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી
આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ
ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)